રાજા વિક્રમસેન એક બહાદુર શાસક હતા. પરંતુ પાડોશી દેશના શક્તિશાળી સૈન્ય સામે તેઓ સતત છ વાર યુદ્ધ હારી ગયા હતા. તેમનું આખું સૈન્ય વિખેરાઈ ગયું હતું અને તેઓ પોતાના જીવ બચાવવા માટે જંગલની એક અંધારી ગુફામાં છુપાઈને બેઠા હતા. રાજા અત્યંત હતાશ હતા અને હિંમત હારી ચૂક્યા હતા.
તેઓ ગુફામાં બેઠા હતા ત્યારે તેમની નજર પથ્થરની દીવાલ પર ચડતા એક નાના કરોળિયા પર પડી. કરોળિયો પોતાનો માળો બાંધવા માટે છત સુધી પહોંચવાનો પ્રયત્ન કરતો હતો. તે થોડે ઉપર સુધી ચડતો અને લપસીને નીચે પડી જતો. આવું તેણે એક પછી એક નવ વાર કર્યું.
પરંતુ દસમી વાર કરોળિયાએ પોતાની પૂરી તાકાત ભેગી કરી અને દીવાલ પર ચડીને છત સુધી પહોંચવામાં સફળ થઈ ગયો અને સુંદર માળો બનાવ્યો. આ દ્રશ્ય જોઈને રાજા વિક્રમસેનના હૃદયમાં એક નવી ઉર્જા ફેલાઈ ગઈ. તેમણે વિચાર્યું, “જ્યારે આ નાનો જીવ હાર નથી માનતો, તો હું શા માટે હિંમત હારી જાવ?” તેમણે ફરી સૈન્ય ભેગું કર્યું અને સાતમી વાર વિજય મેળવ્યો.